એ..ગોઝારી અઢારમી તારીખ હળવદ ક્યારેય નહીં ભૂલે…

- text


એક વર્ષ પહેલા દિવાલ દુર્ઘટનામાં 12 નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાયો હતો : ચાર પરિવારનો માળો પીખાઈ ગયો હતો

હળવદ : હળવદ જીઆઇડીસીમાં આજથી એક વર્ષ પહેલા દિવાલ ધસી પડવાના કારણે બાર-બાર નિર્દોષ શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા. જેથી આ દુર્ઘટનામાં ચાર પરિવારોનો માળો પણ વારમાં પીખાઈ ગયો હતો જો કે આજે પણ દુર્ઘટનાને યાદ કરી પરિવારજનો રડી રહ્યા છે.

તારીખ 18-5-2022 ને જેઠ મહિનાની ત્રીજ ના દિવસે હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર કેમ ફૂડમાં મીઠાના કારખાનામાં કામ કરતા શ્રમિકો તેમજ તેની સાથે આવેલા પરિવારજનો માથે કાળ રૂપી દીવાલ પડતા દટાઈ ગયા હતા જેમાં પાંચ યુવાનો,ત્રણ મહિલા,બે કિશોરી અને બે બાળકોના મોત થયા હતા. આ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું પરંતુ પરિવારજનો આ ઘટના હજુ પણ ભૂલ્યા નથી આજે પણ તેઓની આંખમાં આંસુ સુકાતા નથી.

બીજી તરફ આ ઘટનાને લઇ આજે હળવદ જીઆઇડીસી સંપૂર્ણ બંધ છે અહીં કામ કરતા શ્રમિકો તેમજ કારખાને દારો દ્વારા ગૌમાતાને ઘાસચારો તેમજ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

- text

- text