મોરબીમાં રવિવારે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

- text


મોરબી : મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 14 મે ને રવિવારના રોજ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવનાર છે.

હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આરડીસી બેંકના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ મોરબી ખાતે 14 મે ને રવિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બાળકો માટે કબજિયાતમાં ઉપયોગી એવી ગરમાડાની સિંગ ફ્રીમાં આપવામાં આવશે. આ ઉપરાંત રાહતદરે ફૂલછોડનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વેચાણ કેન્દ્ર પર હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલા પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી વગેરે વસ્તુઓનું વેચાણ થશે. આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્ર મોરબીના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

- text

- text