મોરબીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંતર્ગત પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન

- text


મોરબી: સરદારધામ આયોજીત મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2024 આગામી તા. 7 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી-2024 ન્યુ 150 ફૂટ રીંગ રોડ- રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આગામી તા.6ઠ્ઠી મે ના રોજ સ્કાય મોલ ખાતે કેન્દ્રીય મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાશે.

- text

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2024 કાર્યક્રમ અંતર્ગત તા. 6 મે ને શનિવારના રોજ સ્કાય મોલ, ત્રીજો માળ, મોરબી ખાતે પ્રમોશનલ કાર્યક્રમ-4નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી મંત્રાલય-ભારત સરકાર મંત્રી- પરષોત્તમભાઇ રૂપાલા, રાજકોટ સાંસદ- મોહનભાઈ કુંડારીયા, સનહાર્ટ ગૃપના ગોવિંદભાઈ વરમોરા, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પ્રમોશનલ કાર્યક્રમ-4માં ઔદ્યોગિક અને વેપારી મિત્રમંડળે ઉપસ્થિત રહેવા સરદારધામ ટ્રસ્ટી મંડળે નિમંત્રણ પાઠવ્યું છે.

- text