મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબના હોદેદારોનો 4થીએ શપથગ્રહણ સમારોહ 

- text


મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ ૨૦૨૩-૨૪ના પદમાનિત સિલેક્ટેડ નવ પ્રમુખ અને તેની ટીમનો આગામી તા. 4થી મે ને ગુરુવારે સવારે 10 કલાકે ટી. કે. હોટેલ ખાતે શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વદેશી વિચારધારા તેમજ રાષ્ટ્રીયવાદી ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે પદમાનિત સિલેક્ટેડ નવ પ્રમુખ તેમજ તેની ટીમનો તા. 4 મેના સવારે 10 કલાકે ટી. કે. હોટેલ, ત્રાજપર ચોકડી, એસ્સારના પંપ સામે-મોરબી-2 ખાતે શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવ પ્રમુખ ઈન્ડિયન લાયોનેસ મયુરીબેન કોટેચા અને તેમની ટીમ શપથગ્રહણ કરશે.

- text

આ સમારોહમાં ઈન્ડિયન લાયન્સ નેશનલ ચેરમેન ઈ.લા.અક્ષયભાઈ ઠક્કર, ઈમીડીયેટ પાસ્ટ ચેરમેન ઈ.લા.આશાબેન પંડ્યા, ઈ.લા.ચીફ પેટર્ન ઈ.લા.હિતેષભાઈ પંડ્યા, મોરબી મહિલા પોલીસ મથકના પીઆઈ લખધિરકા મેડમ, યંગ ઈન્ડિયા ગૃપ મેન્ટર દેવેનભાઈ રબારી, શિશુ મંદિર વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટીયા, તપોવન/નિલકંઠ સ્કુલ પ્રેસિડન્ટ જીતુભાઈ વડસોલા, લેબોરેટરી એસોસિયેશન પ્રમુખ સહદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર સહિતના અનેક મહેમાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના સભ્યોએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text