ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનો શપથવિધિ સમારોહ યોજાયો

- text


મોરબી: મોરબીના ધુનડા રોડ પર આવેલ ઇડનહીલ ખાતે ભારત વિકાસ પરિષદના શપથ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાખાના પ્રમુખ તરીકે ડો. જયેશભાઈ પનારા, મંત્રી તરીકે હિંમતભાઈ મારવાણિયા, કોષાધ્યક્ષ તરીકે ચિરાગભાઈ હોથી તથા મહિલા સંયોજિકા તરીકે દર્શનાબેન ભટ્ટ તેમજ કારોબારી સદસ્યોએ શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વોલ ટાઈલ્સ સીરામીક એસોસિયેશનના ઉપપ્રમુખ તથા લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી સંદીપભાઈ કુંડારીયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી કરસનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રીજીયનના સેવા વિભાગના મંત્રી રવિન્દ્રભાઈ ત્રિવેદી ,રીજીયનના સંપર્ક વિભાગના મંત્રી જેઠસુરભાઈ ગુજરીયા, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત અભ્યાસ વર્ગના સંયોજક બકુલભાઈ દુધાગરા તેમજ આરએસએસ મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા તેમજ વિવિધ ક્ષેત્રના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહેમાનોનું તથા મોરબી શાખાના રીજીયન સેવા વિભાગના મંત્રી તરીકે રવિન્દ્રભાઈ ત્રિવેદી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પ્રકલ્પ સહસંયોજક દિલીપભાઈ પરમાર તથા ધ્રુમિલભાઈ આડેસરાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની સંપૂર્ણ શપથવિધિ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી કરસનભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી. શાબ્દિક સ્વાગતવિધિ દિલીપભાઈ પરમાર દ્વારા તેમજ પ્રવૃત્તિ અહેવાલ ધ્રુમીલભાઇ આડેસરા દ્વારા તેમજ શાખા અહેવાલ ચિરાગભાઈ હોથી દ્વારા અને નવનિયુક્ત પ્રમુખ દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમ સંયોજક પંકજભાઈ ફેફર અને તેની સમગ્ર ટીમે ભારે જેહમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આભાર વિધિ નવનિયુક્ત મંત્રી હિંમતભાઈ મારવાણીયા દ્વારા કરવામાં આવી હતી.

- text

- text