મોરબી જલારામ મંદિરે 4 મેના રોજ વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

- text


રાઘવજીભાઈ મનજીભાઈ પટેલ (ભડીયાદવાળા) પરિવારના સહયોગથી કેમ્પનું આયોજન

મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. ત્યારે આગામી તારીખ 4 મે ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબીના રાઘવજીભાઈ મનજીભાઈ પટેલ (ભડીયાદ વાળા) પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી.

- text

કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬નો સંપર્ક કરવા જણાવાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૦ માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ ૬૫૧૧ લોકોએ લાભ લીધો હતો તેમજ ૨૯૫૩ લોકો ના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

- text