મોરબી પરશુરામ ધામ દ્વારા પરશુરામ યુવા ગ્રુપના હોદ્દેદારોનું સન્માન કરાયું

- text


મોરબીના ગૌરવ સમાન જ્યોતિષશાસ્ત્રની સર્વોચ્ચ પદવી મેળવનાર જ્યોતિષાચાર્યોનું પણ વિશેષ સન્માન

મોરબી : મોરબી પરશુરામ ધામ દ્વારા પરશુરામ યુવા ગ્રુપના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પરશુરામ યુવા ગૃપ દ્વારા લખનઉ ખાતે સમીટમાં મોરબીના ગૌરવ સમાન જ્યોતિષશાસ્ત્રની સર્વોચ્ચ પદવી મેળવનાર જ્યોતિષાચાર્યોનું પણ વિશેષ સન્માન કરાયું હતું.

પરશુરામ ધામ મોરબી ખાતે શ્રી પરશુરામધામ ટ્રસ્ટ તેમજ મોરબી જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ યુવા ગ્રુપના નવ નિયુક્ત પ્રમુખ અતુલભાઈ જોશી અને નવનિયુક્ત હોદેદાર ટીમનો સન્માન સમારોહ યોજાયો હતો. સાથે જ શ્રી પરશુરામધામ ટ્રસ્ટ મોરબી, જિલ્લા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા અને શાસ્ત્રી વિપુલભાઈ શુકલને જ્યોતિષની સર્વોચ્ચ પદવી મહમ્હોપાદ્યાયની પદવી અર્પણ કરવામાં આવી છે તે બદલ બન્ને મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરશુરામ યુવા ગ્રુપના નવનિયુક્ત હોદ્દેદારો નયનભાઈ પંડ્યા, મહીધરભાઈ દવે, ઋષિભાઈ મહેતા, પ્રણવભાઈ ત્રિવેદી, વિજયભાઈ રાવલ, ધરમભાઈ રાવલ, ધ્વનિતભાઈ દવે, કમલભાઈ દવે, ભાર્ગવ દવે, યજ્ઞેશ રાવલ, દીપ પંડ્યા સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, ડો. બી.કે.લેહરું, મનોજભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ મહેતા, આર. કે. ભટ્ટ, મુકુન્દરાય જોશી, નીરજભાઈ ભટ્ટ, અતુલભાઈ જોશી, કૌશિકભાઈ વ્યાસ, હાર્દિકભાઈ વ્યાસ, ધ્યાનેશભાઈ રાવલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિશેષ સન્માન સમારોહ કાર્યક્રમમાં મોરબીના બ્રહ્મ અગ્રણીઓ અને બ્રહ્મ બંધુઓ પણ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.

- text

- text