મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢતું જાગૃત મહિલા ગૃપ

- text


મોરબી : મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મની જે ઘટના બની છે. તેને જાગૃત મહિલા ગ્રુપે વખોડી કાઢી છે. આ અંગે ગૃપ દ્વારા જણાવાયું છે કે રવાપર રોડ પરની જે ઘટના બની છે તેને લઈને સત્તાધારી પક્ષના તમામ આગેવાનોને અપીલ છે કે એઓ સરકારમાં રજુઆત કરી આરોપીને સખતમાં સખત સજા થાય તેવા પ્રયાસ કરે. સગીરાના કુંટુંબીજનોએ ફરિયાદ માટે હિંમત દાખવી તે કાબીલેદાદ છે અને જાગૃત મહિલા ગ્રુપની સંવેદના તેમના પરિવાર સાથે છે.

- text

- text