વાંકાનેરના આરોપીને ૩૦મી એપ્રિલ સુધીમાં કોર્ટ સમક્ષ સરન્ડર થવા આદેશ

- text


પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનામાં આરોપી મળતો ન હોવાથી વોરંટની બજવણી પણ થતી ન હોય કોર્ટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

વાંકાનેર : સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઈ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ પાસે ઝૂંપડામાં, જિલ્લો મોરબી પર ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-૫(૧)(ક)ના ભંગ બદલ કલમ-૬(ક) તથા ૧૦ હેઠળ શિક્ષાપાત્ર ગુનો નોંધાયેલ છે જેના પરથી ધરપકડ વોરંટ શેરો થઈ આવેલ છે. આ આરોપી મળી આવતો નથી, ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયેલ છે.

- text

સુરેન્દ્રનગર સેશન્સ જજ પી.એસ. ગઢવી દ્વારા જાહેરનામું બહાર પાડી આરોપી રાજુભાઈ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઈ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ પાસે ઝૂંપડામાં, જિલ્લો મોરબીને ફરિયાદનો જવાબ આપવા ૩૦ એપ્રિલ સુધીમાં અદાલત સમક્ષ પોતાની જાતને સરન્ડર કરવા સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગર સમક્ષ સવારના ૧૦:૩૦ કલાકે હાજર થવાનું જણાવાયું છે.

- text