- text
મોરબીઃ હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા પુષ્ય નક્ષત્રનાં દિવસે 31 માર્ચના રોજ મોરબીમાં 14 સ્થળે ફ્રી સૂવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી દ્વારા મોરબીના વિવિધ 14 સ્થળે 31 માર્ચના રોજ નિ:શુલ્ક સૂવર્ણ પ્રાશન કેમ્પ યોજાશે. બાળકો માટે શ્રેષ્ઠ, બુદ્ધિવર્ધક, બળવર્ધક, ભૂખવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ 31 માર્ચના રોજ
1) ઉમા હોલ, રવાપર ગામનાં ઝાંપા પાસે
2) ગુરૂકૃપા હોસ્પિટલ, રામજી મંદિર પાસે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2
3) વશિષ્ઠ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર, રવાપર રોડ, મોરબી
4) મધુરમ હોસ્પિટલ, પીપળીયા ચાર રસ્તા, મોરબી
5) સુશ્રુત હોસ્પિટલ, રામ ચોક, મોરબી
6) ડો. લહેરૂ દવાખાનું, બાયપાસ રોડ, મોરબી
7) કુમાર પે. સેન્ટર શાળા, જુના દેવળીયા
8) ભારતી વિદ્યાલય, ઉમા ટાઉનશિપ પાસે, મોરબી
9) નિરામય ક્લિનિક, જનકપુર, હાઈસ્કૂલ સામે, ઘુંટુ
- text
10) ઓમ આયુર્વેદા, સંકલ્પ પ્લાઝા, કેનાલ રોડ, મોરબી
11) રૂદ્ર આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ, પંચાસર રોડ, મોરબી
12) શાંતિ આયુર્વેદ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, પોટરી તાલુકા શાળા સામે, મોરબી-2
13) ‘શાંતિ એકેડેમી’ પ્લે હાઉસ, વાઘપરા પાસે, નાલા ઉપર, મોરબી
14) આયુકેર ક્લિનિક, ગણેશ નગર, વાવડી રોડ, મોરબી ખાતે નિઃશુલ્ક સૂવર્ણ પ્રાશન કેમ્પ યોજાશે.
મોરબી જિલ્લામાં યોજાનાર વિવિધ 14 કેમ્પનો મહત્તમ લાભ લેવા હિતમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.
- text