મોરબીમાં ઓમ શાંતિ ચોકમાં કાલે ગુરુવારે રામનવમી નિમિતે ભજનનો કાર્યક્રમ

- text


 

એ ટુ ઝેડ પબ્લિસિટી અને મારૂતિ સાઉન્ડનું આયોજન

મોરબી : મોરબીમાં આવતીકાલે ગુરુવારે રામનવમીની ભવ્ય ઉજવણી થવાની છે. જેમાં શોભાયાત્રા સાથે વિવિધ ચોકમાં ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શનાળા રોડ ઉપર ઓમશાંતિ ચોકમાં બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી એ ટુ ઝેડ પબ્લિસિટી અને મારૂતિ સાઉન્ડ સિસ્ટમ દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં નિલેશ ગઢવી, પિયુષ મહારાજ, રમેશભાઈ રાવલદેવ અને શીતલ બારોટ સહિતના કલાકારો ભજની રમઝટ બોલાવશે. આ વેળાએ જુનિયર રમેશ મહેતા એવા મયુરબાપા પણ ઉપસ્થિત રહેવાના છે.

- text

- text