પરશુરામધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરાયું

- text


મોરબીઃ આજરોજ મોરબીના પરશુરામધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા અને રીજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ધીમંત વ્યાસના હસ્તે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ તકે મોરબી મામલતદાર નિખિલભાઇ મહેતા, રાજકોટ બ્રહ્મ અગ્રણી જીતુભાઈ મહેતા, કચ્છ બ્રહ્મ અગ્રણી એડવોકેટ એચ. એલ. અજાણી, હસુભાઈ પંડ્યા તેમજ બહોળી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, અતુલભાઇ જોશીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું.

- text

- text