ટીસીમાંથી તણખો ઝરતા ટંકારાના સરાયા ગામે ઘઉંના ઉભા પાકમાં આગ લાગી

- text


માવઠાના મારથી માંડ બચેલા ઘઉં આગની આફતમા ખાખ, બે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે આજે વીજ ટ્રાન્સફોર્મરમાંથી તિખારો ઝરતા ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતા બે ખેડૂત ઉપર આભ તૂટી પડયા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા ખેડૂત બેચરભાઈ ભવાનભાઈ ઢેઢીના ત્રણ વીઘાના અને મનહરભાઈ ધરમશીભાઈ ઢેઢીના અઢી વિઘાના ધઉ ભડભડ સળગી ગયા હતા.

વધુમાં આગની ઘટનામાં આજુબાજુના ખેડૂતોએ કોઠાસુઝ વાપરી તાકીદે રેસ્કયુ ઓપરેશન હાથ આગને કાબુમાં લઈ આજુ બાજુના ખેડુતોને લાખોનું નુકસાન થતું અટકાવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબખેતરની બાજુમાં આવેલ ટીસીના જમ્પરમાંથી તીખારાથી સમગ્ર ખેતરમાં આગ લાગી હતી.

- text

- text