મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી સમૂહ લગ્નોત્સવ યોજાયો 

- text


ગોસ્વામી સમાજના હિત અને વિકાસ માટે હવે ગુજરાત લેવલનું મજબૂત સંગઠન બનાવવા આહવાન 

મોરબી : મોરબીના દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું, ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણનગર ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં કન્યાઓને કરિયાવરમાં સોના ચાંદીના આભૂષણોથી માંડી ગૃહઉપયોગી 85 ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્નનું ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણનગર ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવતા યુવક મંડળની ટીમનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા. આ તકે રાજકોટના નિવૃત પીએસઆઇ અને સમાજના આગેવાન સોમગીરી પ્રભાતગીરીને ભવ્ય આયોજન બદલ જ્ઞાતિરત્નોનું સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ સમૂહલગ્ન માં ઉપસ્થિત રાજકોટના તબીબ મનીષભાઈ ગોસ્વામી એ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના હિત અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત લેવલનું મજબૂત એકતા સંગઠન બનાવો.

વધુમાં નવદંપતીઓને અને વાલીઓને જણાવ્યું હતું.ઘરમાં નાની નાની બાબતોને મોટુ રૂપ ન આપો, એકબીજા પ્રત્યે અહંકાર કે ઈર્ષા ન રાખો જેનાથી હવે સમાજમાં છુટા છેડાના બનાવો વધતા જાય છે. મંડળોને સંગઠનોમાં હોદ અને પદનો મોહ રાખ્યા વિના સમાજના હિતમાં કામ કરો કહી મોરબી યુવક મંડળના સેવાકાર્યોનાં વખાણ કરવામાં આવ્યા હતા. આ તકે, મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેને જણાવ્યું હતું કે, ગોસ્વામી સમાજએ સંતો મહંતોનો પરોપકારીને કલ્યાણકારી સમાજ છે. આ સમૂહલગ્ન માં જોડાવવુંએ મોટું સદભાગ્ય છે.

વધુમાં મહંત ભાવેશ્વરીબેને શિક્ષણ ઉપર ભાર મુક્તા જણાવ્યું હતું કે તમારા બાળકોને વધુને વધુ ભણાવો,યુવાનોને વ્યસન છોડવા તેમજ બહેનોને ફેશન છોડવા ની ટકોર કરી પરિવારમાં સંસ્કારોને મર્યાદાનું જતન કરો.આ સમૂહલગ્ન માં ઉપસ્થિત સંતો મહંતી મહાનુભાવો સમૂહલગ્નના સફળ આયોજનને બિરદાવી દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.

- text

આ સમૂહલગ્ન માં રાજકોટ ના ગોસ્વામી સમાજના આગેવાન ડો.મનીષ ગોસ્વામી, સોમગીરી પ્રભાતગીરી, મુકેશગીરી દલપતગીરી, (ડેરીવડાળા) સંજયભાઇ ગોસ્વામી,ચેતનગીરી વાંકાનેરવાળા,રાષ્ટ્રીય અધ્યક્ષ સચીદાનંદજીગીરી,મોરબી દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરી, મોરબી ડીવાયએસપી પી.એસ.ગોસ્વામી,હસુબાપુ ભગવાગ્રુપ રાજકોટ, ચોટીલાના મહંત, દળવા રાંદલ મહંતો તેમજ મોરબી પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે આમંત્રિત મહેમાનોએ ગૌસ્વામી સમાજ એ ભગવાન શિવ સાથે સીધો નજીકથી એકમાત્ર સંકળાયેલ વિશ્વલેવલે પૂજનીય સમાજ હોવાનું જણાવી ગોસ્વામી સમાજમાં જન્મ લેવો એ ભાગ્યની વાત હોવાનું કહ્યું હતું. આ સમૂહલગ્નમાં મોરબી, રાજકોટ,સુરેન્દ્રનગર, કચ્છ સહિત ગુજરાતભરના વિવિધ સંગઠનો,આગેવાનો, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્ન ને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળદેવગીરી દેવગીરી, મંત્રી અમિતગીરી તથા નિતેષગીરી ખજાનચી એડવોકેટ હાર્દિકગીરી તથા દેવેન્દ્રગીરી સહિત યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી આ ભવ્ય આયોજનને દીપાવી મોરબી ગોસ્વામી સમાજનું ગૌરવ વધાર્યું હતું.

- text