માળીયા (મી.) ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારનું સ્નેહમિલન અને નવકુંડી યજ્ઞ યોજાયો 

- text


માળિયા (મી.): આજે તારીખ 19 ફેબ્રુઆરી ને રવિવારના રોજ તાલુકાના ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના કુળદેવી આદ્યશક્તિ માતાજીના મંદિરે નવ કુંડી યજ્ઞ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમમાં ચાંચાવદરડા, હડમતીયા, વાઘગઢ, ઓટાળા, વીરપર, માનગઢ તથા સીણોજ ગામના સીણોજીયા પરિવારના સભ્યોએ હાજરી આપી હતી અને નવકુંડી યજ્ઞના દર્શનનો લ્હાવો લીધો હતો.

- text

- text