આવતીકાલે બુધવારે મોરબીના વિવિધ વિસ્તારોમાં વીજ કાપ રહેશે

- text


મોરબીઃ આવતીકાલે તારીખ 15 ફેબ્રુઆરી ને બુધવારના રોજ શ્રીજી ઈન્ડસ્ટ્રીયલ ફીડર હેઠળના કેટલાક વિસ્તારોમાં સમારકામના કારણે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ રહેશે..

- text

વીજકાપને પગલે શ્રીજી ઈન્ડસ્ટ્રીયલ ફીડર હેઠળના જાગાની વાડી, મોર ભગતની વાડી, કપિલા હનુમાન પાસે, શનાળા નીતિન નગર (દરબારવાસ), શનાળા રબારી વાસ, સરસ્વતી શિશુ મંદિર સ્કૂલથી શ્રીજી એસ્ટેટ સુધીનો વિસ્તાર તથા આસપાસના વિસ્તારમાં આવતીકાલે બુધવારે વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામની કામગીરી પૂર્ણ થતાં જ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે.

- text