મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે માતા-પિતા પૂજન દિવસ ઉજવાયો

- text


મોરબીઃ ફેબ્રુઆરી મહિનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરીને આજના યુવાનો વિવિધ દિવસોની ઉજવણી કરતાં હોય છે ત્યારે સાર્થક વિદ્યામંદિર દ્વારા આજ રોજ 14 ફેબ્રુઆરીના દિવસે માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરીને એક અનોખો ચીલો ચાતર્યો છે.

આજ રોજ 14 ફેબ્રુઆરીના દિવસે મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે બપોરે 12 થી 12-30 કલાક દરમિયાન માતા-પિતા પૂજન દિવસ ઉજવાયો હતો. જેમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ નિયમિત વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાનું પૂજન કરે અને અન્યને પ્રેરણા મળે તે માટે ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને સાર્થક વિદ્યામંદિરને ટેગ કરવા પણ અપીલ કરાઈ હતી.

- text

- text