18 અને 19 ફેબ્રુઆરીએ મોરબીની નીલકંઠ સ્કૂલમાં નયા ભારત-આત્મનિર્ભર ભારત કાર્નિવલ યોજાશે

- text


મોરબીઃ મોરબીના રવાપર રોડ પર આવેલી નીલકંઠ સ્કૂલ ખાતે નોલેજથી ભરપૂર નયા ભારત- આત્મનિર્ભર ભારત કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 18 અને 19 ફેબ્રુઆરીના રોજ સવારે 8-30 થી સાંજે 6 કલાક સુધી નયા ભારત- આત્મનિર્ભર ભારત કાર્નિવલ ચાલુ રહેશે. જેમાં નવા ભારત વર્ષની સિદ્ધિઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહેશે.

- text

- text