મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા કાલે રવિવારે મહા સત્સંગ

- text


 

ગાયક કલાકાર ગૌતમ ડાબીર તેમના મધુર સ્વરમાં સત્સંગીઓને રસતરબોળ કરશે, મેઘલભાઈ તથા સેજલ દીદીનો વિશેષ જ્ઞાન સત્ર યોજાશે

મોરબી : શ્રીશ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તા. ૧૨ ને રવિવારે સાંજે ૮:૩૦થી ૧૦:૩૦ રવાપર રોડ પર આવેલ શ્રી શ્રી હોલ ખાતે એક વિશેષ સંગીતમય મહા સત્સંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સંસ્થાના લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર ગૌતમભાઈ ડાબીર તેમના મધુર સ્વરમાં સત્સંગીઓને રસતરબોળ કરશે.

- text

આ સંગીતમય સત્સંગ સંધ્યામાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી મેઘલભાઈ તથા સેજલ દીદીના વિશેષ જ્ઞાન સત્રનું આયોજન કરવામા આવ્યું છે. મોરબીના આંગણે સત્સંગના રસમાં ડુબકી લગાવવા મોરબીના સત્સંગ પ્રેમીઓ તથા જાહેર જનતાને હાર્દિક એમ.ભાલોડિયા ( ડિસ્ટ્રિક્ટ ટીચર કો ઓર્ડીનેટર) દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સત્સંગ સંધ્યામાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. ૯૮૨૫૨૧૫૫૫૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text