મોરબીના અમરનગરના વૃદ્ધ દ્વારા આત્મવિલોપનની ચીમકી 

- text


રવાપર નદી ગામે આવેલી જમીન અન્યોએ પચાવી પાડતા રાજ્યપાલને આત્મ વિલોપન કરવા લેખિત અરજી કરી 

મોરબી : મોરબીના અમરનગર ગામે રહેતા વૃઘ્ધની રવાપર નદી ગામે આવેલી વડીલો પાર્જીત ખેતીની જમીન કૌભાંડ કરીને હડપ કરી નાખવામાં આવતા વૃધ્ધ દ્વારા આગામી તા.6 ફેબ્રુઆરીના રોજ સહપરિવાર આત્મ વિલોપન કરી લેવા રાજ્યપાલ સમક્ષ અરજી કરતા ચકચાર જાગી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અમરનગર ગામે રહેતા ખેલશંકરભાઈ લીલાધરભાઇ મહેતા નામના વૃદ્ધે રાજ્યપાલને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે, રવાપર નદી ગામે આવેલી તેમની વડીલો પાર્જીત જમીન ઉપર અન્ય લોકોએ કબ્જો કરી લઈ તેમને તથા તેમના પુત્રને માથાભારે તત્વો પરેશાન કરતા હોય આગામી તા.6 ફેબ્રુઆરીના રોજ પરિવાર સાથે આત્મ વિલોપન કરશે. રાજ્યપાલ સમક્ષ અરજી થતા હાલમાં મોરબી તાલુકા પોલીસે બવૃઘ્ધનું નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- text