મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક યાત્રા યોજાઈ

- text


મોરબીઃ મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા તારીખ 22 જાન્યુઆરીના રોજ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાઉન્સિલના મંત્રી મહેશભાઈ ભટ્ટની આગેવાનીમાં યોજાયેલા આ ધાર્મિક યાત્રા પ્રવાસમાં મોરબીથી મોઢેશ્વરી માતાજી મંદિર, ભંગેશ્વર મહાદેવ, ચોટીલા, સાળંગપુર, કુંડળધામ, ઘેલા સોમનાથ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન 29 જેટલા વ્યક્તિઓ જોડાયા હતા અને તમામના ચા-પાણી, નાસ્તો, ભોજન સહિતની તમામ વ્યવસ્થા મંત્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા કરાઈ હતી.

- text

- text