23 જાન્યુઆરીએ પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો

- text


મોરબી: આગામી તારીખ 23 જાન્યુઆરી ને સોમવારના રોજ બેલા (રંગપર) ગામે ભગાબાપાની પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે.

બેલા (રંગપર) ગામે મનસુખભાઈ ધનાભાઈ સુંવાણ તથા વિક્રમભાઈ રતાભાઈ સુંવાણની પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો રંગે ચંગે 23 જાન્યુઆરી ને સોમવારના રોજ યોજનાર છે. જેમાં 23 જાન્યુઆરીએ સવારે થાંભલી રોપણ થશે. ત્યારબાદ બપોરે 2-30 કલાકે સંતોના સામૈયા થશે. સાંજે 4 થી 6 કલાકે ધર્મસભાનું આયોજન કરાયું છે અને સાંજે 6 કલાકે પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાત્રે 9 કલાકે ડાકની રમઝટ બોલશે અને 24 જાન્યુઆરી એ સવારે થાંભલી વધાવવાનું મુહૂર્ત છે. આ નવરંગા માંડવામાં વડવાળા મંદિર દુધરેજ ધામના મહંત કણીરામબાપુ, દુધઈધામ વડવાળા મંદિરના મહંત રામબાલકદાસ બાપુ, આપા જાલાની જગ્યા મેસરીયાના મહંત બંસીદાસ બાપુ અને અદેપર મોમાઈ માતાજી મઢના ભુવા સવા આતા ઉપસ્થિત રહેશે.

- text

- text