ટંકારા: આર્ય વિદ્યાલય ખાતે માર્ગ સલામતી દિવસની ઉજવણી કરાઈ

- text


ટંકારા: આર્ય વિદ્યાલય ખાતે આરટીઓ કચેરી મોરબી દ્વારા માર્ગ સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકો દ્વારા માર્ગમાં સૂચક સિગ્નલો વિશે ધોરણ 5,6,7ના બાળકો દ્રારા નાટક ભજવી તમામ સિગ્નલોની માહિતી આપવામાં આવી હતી.

- text

મોરબીના આરટીઓ ઓફિસર પ્રજાપતિ તથા આરટીઓ સલાહકાર બ્રિજેશભાઈ ભાડજાનું બાળકો દ્વારા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ગૌતમભાઈ દ્રારા શાબ્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આરટીઓ ઓફિસર પ્રજાપતિ અને બ્રિજેશભાઈ ભાડજા દ્રારા દરેક બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ આપી બાળકોના નાટકને બિરદાવ્યું હતું. ત્યારબાદ પ્રજાપતિ સાહેબ દ્વારા બાળકોને અલગ અલગ ppt દ્વારા ખુબ સરસ માહિતી આપવામાં આવી હતી અને માર્ગ ઉપર શું શું કાળજી લેવી જોઈએ તેની ખૂબ સરસ પ્રશ્નોતરી મારફત સમજ આપવામાં આવી હતી. આર્ય વિદ્યાલય દ્વારા તમામ મહાનુભાવોનો આભાર માનવામાં આવ્યો હતો.

- text