મોરબીમાં આગામી તા. 22મીએ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન

- text


સમસ્ત ખવાસ-રજપૂત સમાજ મોરબી યુવક મંડળ દ્વારા આયોજન

મોરબી : મોરબી સમસ્ત ખવાસ-રજપૂત સમાજ યુવક મંડળ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે આગામી તા.22ને રવિવારે આયુષ્યમાન કાર્ડ અંગેનો કેમ્પ અત્રેના અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવ્યો છે.

મોરબી નગરપાલિકા તેમજ અગનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ-રજપુત સમાજ મોરબી યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તા.22ને રવિવારે સામાકાંઠે આવેલ અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે 9 થી 2 વાગ્યા સુધી ખવાસ- રજપૂત સમાજ તેમજ તમામ જરૂરિયાતમંદ પરિવારો માટે આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે.

- text

આ આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં લાભ લેવા ઇચ્છતા જરૂરિયાતમંદ પરિવારજનોએ મામલતદાર કચેરીનો આવકનો દાખલો(2021) પછીનો,આધારકાર્ડ તેમજ રેશનકાર્ડ સાથે લાવવાનું રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા અનિલભાઈ રાઠોડ, વિજયભાઈ હાડા, મેહુલભાઈ ડોડિયા, સુધીરભાઈ સોલંકી, ભાવિક મકવાણા, નરેન્દ્ર ગોહિલ, ભાવિક રાઠોડ, યુવરાજ પરમાર, પંકજભાઈ રાઠોડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. કેમ્પ અંગે વધુ માહિતી માટે અનિલભાઈ-9726025008, વિજયભાઈ -9228253180 આ નંબર ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text