મોરબી માધાપરવાડી શાળાની વિદ્યાર્થિનીઓ માટે જાદુ શો યોજાયો

- text


જાદુગર વી.કે. દ્વારા ખાસ રાહતદરે શો યોજવામાં આવ્યો

મોરબી : મોરબીની માધાપરવાડી શાળાના વિદ્યાર્થીઓ માટે જાદુગર વી.કે. ના ખાસ શો નું રાહતદરે આયોજન કરાયું હતું અને વિદ્યાર્થિનીઓએ આ જાદુનો શોની મજા માણી હતી.

જાદુ દ્વારા લોકોનું મનોરંજન થાય એ માટે અનેક જાદુગરો પોતાની જાદૂકલા દ્વારા વિવિધ કરતબો બતાવતા હોય છે. એવી રીતે અમેરિકા સ્થિત દુનિયાભરના જાદુગરો માટેની કલબ દ્વારા જાદૂકલા માટેની હરીફાઈ રાખવામાં આવી છે. જેમાં દુનિયાભરમાંથી 5000 જાદુગરોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને પોતાની જાદૂકલાનું પ્રેઝન્ટેશન કર્યું હતું. એ પૈકી ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા જાદુગર વી.કે.ને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. એવા આ વી.કે.જાદુગર જુદા જુદા 200 જેટલા જાદુના ખેલ જાદુના કરતબો બતાવે છે. દરરોજ રાત્રે 9.00 વાગ્યાનો રેગ્યુલર શો હોય છે પણ દિવસ દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ માટે તદ્દન વ્યાજબી શુલ્ક સાથે વિદ્યાર્થીઓ માટે ફક્ત 50 રૂપિયાની નજીવી ફી સાથે માધાપરવાડી શાળાના 300 જેટલી વિદ્યાર્થિનીઓએ જાદુનો ખેલ નિહાળી મનોરંજન પ્રાપ્ત કર્યું હતું અને વી.કે સાથે દેશભક્તિના ગીતો સાથે ડાન્સની પણ મજા માણી હતી.

કોઈ શાળાના વિદ્યાર્થીઓ આ શો જોવા માંગતા હોય તો મો.નં. 9099901700 સમ્પર્ક કરવા દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બાળાઓને જાદુગરનો શો બતાવવા અલકાબેન કોરવાડિયા, નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, દયાળજીભાઈ બાવરવા, જયેશભાઇ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા, નિલમબેન ચૌહાણ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text

- text