આવતીકાલે બુધવાર મોરબીના અનેક વિસ્તારમાં વીજ કાપ રહેશે

- text


મોરબીઃ આવતીકાલે તારીખ 11 જાન્યુઆરી ને બુધવારના રોજ PGVCL મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી અવધ ફીડર સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી માટે બંધ રહેશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

આવતીકાલે આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર 1/2, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે..

- text