મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે વાલીઓ માટે સેમિનાર યોજાયો

- text


મોરબી: મોરબીની નવયુગ વિદ્યાલય દ્વારા કેજી થી ધોરણ 11 સુધીના વાલીઓની મિટિંગ તાજેતરમાં મળી હતી. બે સત્રમાં આયોજિત આ મિટિંગમાં આશરે 1500 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાંપ્રત સમયમાં શિક્ષણ, સંતાન અને વાલી સામેના પડકારોને સમજી તેનું યોગ્ય નિરાકરણ કરી સંતાનોનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બનાવી શકાય તેની અવનવી વાતો વક્તાઓ, ડોક્ટર દીપકભાઈ રાજ્યગુરુ અને મોટીવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયા દ્વારા રજુ કરવામાં આવી હતી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી કાંજિયા તથા રંજનબેન પી. કાંજિયા અને બળદેવભાઈ સરસાવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ સેમિનારના અંતે અલ્પાહારનું આયોજન કરાયું હતું. સમગ્ર વાલી મિટિંગ સેમિનારને નવયુગ સુપ્રીમો પી.ડી. કાંજિયાના માર્ગદર્શનથી તમામ સ્ટાફે સફળ બનાવ્યો હતો.

- text

- text