મોરબીમાં આજે શનિવારે મહેન્દ્રનગરના મોગલ માતાજીના થળે દેવ ડાયરો યોજાશે

- text


મોરબી : સમસ્ત આઈ મોગલ ઉપાસક દ્વારા આજરોજ મોરબીના શિવપાર્ક, આઈટીઆઈ સામે, ઘુંટું રોડ પર મહેન્દ્રનગર સ્થિત મોગલ માતાજીના થળે દેવ ડાયરો યોજાશે.

આજરોજ તારીખ 7 જાન્યુઆરીને શનિવારના રોજ મોગલ માતાજીના થળે દેવ ડાયરાનું ભવ્ય આયોજન કરાયું છે. આ નિમિત્તે આજે સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 9 કલાકે રાવળદેવ હરેશભાઈ (ટંકારા), રાવળદેવ દેવભાઈ (મોરબી), રાવળદેવ વિરમભાઈ (ટંકારા) અને રાવળદેવ રાહુલભાઈ (મોરબી) ડાકની રમઝટ બોલાવશે. આ તકે ભુવા અમિતભા ગઢવી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સર્વ ધર્મ પ્રેમી જનતાને મહાપ્રસાદ લેવા અને ડાક ડમરુનો કાર્યક્રમ માણવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text