એવન્યુ પાર્ક ખાતે 12 ડિસેમ્બરથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

- text


પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રી સુહાગભાઈ દવેના વ્યાસાસને અનેરું આયોજન

મોરબીઃ ગૌસેવાના લાભાર્થે મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટીના સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરું આયોજન આગામી તારીખ 12 ડિસેમ્બર ને સોમવાર થી તારીખ 18 ડિસેમ્બર ને રવિવાર સુધી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રી સુહાગભાઈ દવેના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન કરાવવામાં આવશે. પોથી યાત્રા તેમજ કથા દરમિયાન આવતા ધાર્મિક માંગલિક ઉત્સવો જેવા કે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવશે.

- text

હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે દાન-પૂણ્ય નો મહીમા રહેલો છે ત્યારે મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગૌસેવાના લાભાર્થે એવન્યુ પાર્ક સોસાયટી, ગરબી ચોક ખાતે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વિવિધ પ્રસંગોમાં યજમાન બનવા તેમજ સહયોગ અર્પણ કરવા શહેરની ધર્મપ્રેમી જનતાને હસુભાઈ ચંડીભમર (મો. નં. ૯૯૨૫૭ ૮૦૮૮૮), માવજીભાઈ પટેલ (મો.નં. ૯૦૯૯૦ ૧૭૯૦૦), રમાબેન કોઠીયા (મો.નં. ૯૭૨૭૮ ૭૧૯૧૯), જાગૃતિબેન કૈલા (મો.નં.૯૭૨૬૮ ૦૭૩૪૦), નિર્મિતભાઈ કક્કડ (મો.૯૯૯૮૮ ૮૦૫૮૮) પર સંપર્ક કરવા જણાવાયું છે. સાથે જ શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પધારવા તેમજ કથાનું રસપાન કરવા સુંદરકાંડ મહિલા મંડળે ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.

- text