આવતીકાલે મોરબીના શ્રીહરિ પેલેસ ખાતે રામામંડળ ભજવાશે

- text


મોરબીઃ આવતીકાલે તારીખ 10 ડિસેમ્બર ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે એસ.પી.રોડ પર આવેલા શ્રીહરિ પેલેસ ખાતે રામામંડળ ભજવવામાં આવશે.

શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવશે. તો આ રામામંડળ નીહાળવા સૌ ધર્મપ્રેમી જનતાને આયોજક મનસુખભાઈ કાસુન્દ્રા અને હિતેશભાઈ કાસુન્દ્રા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text