ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષર્થે મોક્ષયજ્ઞ યોજતા કાંતિલાલ અમૃતિયા

- text


મોક્ષયજ્ઞ મૃતકોના મોક્ષ માટે તેમજ ન્યાય માટે હોવાનું જણાવતા ધારાસભ્ય કાંતિલાલ : મોટી સંખ્યામાં લોકોએ મોક્ષયજ્ઞમાં હાજર રહી દિવગંતોના મોક્ષર્થે પ્રાર્થના કરી

મોરબી : મોરબી બેઠક પર જંગી લીડ સાથે વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના મંદિર ખાતે કાંતિલાલ અમૃતિયા દ્વારા મોક્ષયજ્ઞ યોજાયો હતો.મોટી સંખ્યામાં લોકોએ મોક્ષયજ્ઞમાં હાજર રહી દિવગંતોના મોક્ષર્થે પ્રાર્થના કરી હતી.આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ આ મોક્ષયજ્ઞ મૃતકોના મોક્ષાર્થે ઉપરાંત ન્યાય માટે હોવાનું દોહરાવ્યું હતું.

મોરબી બેઠક પર ભાજપના બાહુબલી નેતા કાંતિલાલ અમૃતિયાએ જંગી લીડ સાથે ઐતિહાસિક જીત મેળવી હતી. જો કે અગાઉ તેઓએ ઝૂલતાપૂલ દુર્ઘટનાના શોકમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પણ ફટાકડા તેમજ ઢોલ ત્રાસા નહિ વગાડીને પ્રચારમાં પણ ઘણો જ સંયમ રાખ્યો હતો. ગઈકાલે જંગી લીડથી વિજેતા થયા હોવા છતાં તેઓએ ફટાકડા તેમજ ઢોલ, ત્રાંસા સહિતની ભવ્ય ઉજવણી કરવાને બદલે માત્ર સદાયથી રેલી કાઢીને આ દુર્ઘટનામાં લોકોની લાગણીને ઠેસ પહોંચવા દીધી ન હતી.ત્યારે ચૂંટણી જીત્યા બાદ તેઓએ અગાઉ કરેલી જાહેરાત મુજબ આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના મંદિર ખાતે મોક્ષયજ્ઞનું આયોજન કર્યું હતું અને યજ્ઞમાં આહુતિઓ આપી ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ તકે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સહિતના લોકોએ પણ હાજરી આપીને દિવગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

- text

- text