કોંગ્રેસ દ્વારા બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ

- text


ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસ ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના કાર્યાલય ખાતે યજ્ઞનું આયોજન

મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા કાલે બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પૂણ્યતિથિએ શાંતિ યજ્ઞનું આયોજન કરાયું છે.

- text

મોરબીમાં ઝુલતાપુલ દુર્ઘટનામાં ભોગ બનેલ મૃતકોના દિવ્ય આત્માના શાંતિ અર્થે મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના મધ્યસ્થ કાર્યલય ખાતે કાલે તા. 30-11-2022 ને બુધવાર ના રોજ સવારે 10:00 વાગ્યે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તમામ મોરબીવાસીઓ પુલ દુર્ઘટનાના મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શાંતી હવનમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

- text