હજનાળી પ્રાથમિક શાળા દ્વારા 114 વીર આહીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબીઃ હજનાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ભારતીય સેનામાં ફરજ બજાવી શહીદ થયેલા 114 વીર આહીર સૈનિકોને ગઈકાલે શુક્રવારના રોજ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

18 નવેમ્બર 1962માં ભારતીય સેનાના કુમાઉ રેજીમેન્ટના 114 વીર આહીરો કે જેમણે આજના દિવસે જ 2000 કરતા વધારે ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારીને ભારતમાતાની રક્ષા કાજે જે બલિદાન આપ્યું હતું તે વીર આહીરોને શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને દેશભક્તિ વિશે શાળા સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

- text