20 નવેમ્બરે જસાપર ગામે ભાગવત સપ્તાહ પ્રસંગે મહા રક્તદાન કેમ્પ યોજાશે

- text


મોરબીઃ કાનગડ પરિવાર દ્વારા આજથી જસાપર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. ત્યારે આ કથા દરમિયાન તારીખ 20 નવેમ્બરના રોજ મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે.

સ્વ. મેણંદભાઈ લખમણભાઈ કાનગડના મોક્ષાર્થે યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે તારીખ 20 નવેમ્બર ને રવિવારના રોજ જસાપર પ્રાથમિક શાળા ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. તો આ મહા રક્તદાન કેમ્પમાં સહભાગી થઈ રક્તદાન કરવા સૌને અપીલ કરવામાં આવી છે.

- text

- text