મોરબી: 13 નવેમ્બરે સમર્પણ હોસ્પિટલમાં લાયન્સ ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ

- text


 

મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સૌજન્યથી સમર્પણ હોસ્પિટલ સંચાલિત સ્વ. દિવ્યાબેન, સ્વ. મંજુલાબેન પ્રભુભાઈ કાસુન્દ્રાનાં સ્મરણાર્થે મોરબીની સમર્પણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ થશે.

આગામી તારીખ 13 નવેમ્બર ને રવિવારના રોજ સાંજે 5:31 વાગ્યે મોરબીના મહેન્દ્રનગર મેઇન રોડ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, પ્રભુ કૃપા, સમર્પણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે શુભારંભ થશે. આ ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ મુખ્ય દાતા લીંબાભાઇ માવજીભાઈ કાસુન્દ્રા અને પ્રભુભાઈ માવજીભાઈ કાસુન્દ્રાના હસ્તે થશે. આ પ્રસંગે લાયન ચંદ્રકાંતભાઈ દફતરી, લાયન ભરતભાઈ મહેતા, લાયન રમેશભાઈ રૂપાલા, સમર્પણ હોસ્પિટલના ડાયરેક્ટર રાજદીપભાઈ વામજા અને ડો. પાર્થ કાલરીયા ઉપસ્થિત રહેશે. આ ડાયાલિસીસ સેન્ટર કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

- text

- text