- text
મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા ઝૂલતાપુલ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે રવિવારના રોજ સાંજે સત્સંગમાં ભજન અને ધ્યાનનું પુણ્ય ઝૂલતાપુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરાયું હતું અને તેમની આત્માનું મંગલ કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
- text
- text