ઝૂલતા પુલ દુર્ઘટનામાં દિવંગતોના પરિવારને સહાય અર્પણ કરતા મોરારિબાપુ

- text


મોરબી : 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તુટતા આશરે 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલ રાજસ્થાનના નાથદ્વારા ખાતે મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. આ દરમ્યાન આ કરુણ ઘટનાનાં સમાચાર મળતા મોરારિબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિજનોને પાંચ હજાર રૂપિયા અને એક કાળી કામળી અર્પણ કરવામાં આવી છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની જાણ થતા કથાકાર મોરારીબાપુએ હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને પાંચ હજાર રૂપિયા અને એક કાળી કામળી અર્પણ કરવામાં આવી છે. આ કાર્યમાં મોરબી કબીર આશ્રમના મહામંડલેશ્વર શિવરામ સાહેબના આશીર્વાદ અને અમુલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો અને રાજકોટના અતુલ ઓટોની ટીમ દ્વારા સહાય પહોંચાડવા આવી રહી છે.

- text

- text