વાંકાનેરમાં કાલે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો રોડ શો

- text


વાંકાનેર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ મોટા ગજાના નેતાઓ પ્રચાર માટે મેદાને આવ્યા છે. જેમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલા આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભારે કમર કસી છે. તેથી આમ આદમી પાર્ટીનો સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો આવતીકાલે વાંકાનેરમાં રોડ શો યોજાશે.

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર આમ આદમી પાર્ટીઓ પોતાના ઉમેદવારોને સતાવાર રીતે જાહેર કરી દીધા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ખુદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ પ્રચાર યુદ્ધમાં કૂદી પડ્યા છે. આથી મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલ મેદાને આવી આવતીકાલે તા.6ના રોજ વાંકાનેરમાં જાહેર રોડ કરનાર છે. જેમાં વાંકાનેર હાઇવે જકાત નાકાથી પુલ દરવાજા સુધી તેમનો જાહેર રોડ શો યોજાશે.

- text

- text