સરદાર પટેલની પ્રતિમા અનાવરણ રેલીમાં દિવ્યાંગ સેલિબ્રિટી કમો હાજરી આપશે

- text


મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવ અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા તા. 30 ને રવિવારે નવા બસ સ્ટેન્ડ સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ અને ક્રાંતિકારીઓની પ્રતિમા અનાવરણ કરવામાં આવશે. આ અંગે અજય લોરીયાએ જણાવ્યું હતું કે પ્રતિમા અનાવરણ નિમિતે તા. 30 ને બપોરે 3.30 કલાકે આયોજિત મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધીની ઐતિહાસિક મહારેલીમાં અનેક સંતો મહંતો, રાજકીય, સામાજિક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે . સાથે સોશ્યલ મીડિયા ફેમ દિવ્યાંગ સેલિબ્રિટી કમો પણ આ રેલીમાં જોડાશે. તો આ રેલીમાં સર્વે લોકોને મોટી સંખ્યામાં જોડાવા તેમજ સાંજે 7 વાગ્યે રામેશ્વર ફાર્મમાં આયોજિત મહાપ્રસાદ અને રાત્રે 9.00 કલાકે કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી સહિતના કલાકારોના ભવ્ય લોકડાયરામાં પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.

- text

 

- text