મોરબીમાં સરદાર પટેલ જન્મજ્યંતીની ઉજવણી અંતર્ગત એકતા સાંકળ રચાઈ

- text


મોરબી : મોરબીમાં આગામી 31,ઓકટોબરના રોજ ભારતની એકતા અને અખંડીતતાની મિશાલ એવા લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જ્યંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સરકાર દ્વારા તા.25.10.22 થી તા.31.10.22 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પ્રથમ દિવસે એકતા માનવ સાંકળ રચવાનો કાર્યક્રમ હોય નવા બસ સ્ટેન્ડ શનાળા રોડ સરદાર પટેલની પ્રતિમા ફરતે દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની આગેવાની હેઠળ પ્રાણજીવનભાઈ વિડજા મણિલાલ સરડવા, અંબરીશભાઈ વ્યાસ, હિતેશભાઈ ગાંભવા, અશ્વિનભાઈ વગેરે શિક્ષકો, તલાટીઓ,અન્ય કર્મચારીઓ અને નગરજનોએ એકમેકના હાથ પકડી એકતા માનવ સાંકળ રચી એકતાના દર્શન કરાવ્યા હતા.

- text

- text