અણીયારી ગામે બુધવારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તારામતી નાટક ભજવાશે

- text


મોરબી : અણીયારી ગામે આગામી તારીખ 26/10ને બુધવારે રાત્રે 10:00 કલાકે અબોલ જીવોના લાભાર્થે મહાન ધાર્મિક નાટક ભજવાશે. નવદુર્ગા શક્તિ મંડળ તેમજ સમસ્ત અણીયારી ગામ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. અબોલ જીવો તેમજ ચકલાના ચણના લાભાર્થે હાસ્યરસ, કરુણરસ તેમજ સંગીતરસથી તરબોળ કરતું મહાન ધાર્મિક નાટક સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તારામતી અણીયારી પ્રાથમિક શાળાના વિશાળ ગ્રાઉન્ડમાં ભજવાશે. જે નિહાળવા સર્વે ગ્રામજનોને અનુરોધ કરાયો છે.

- text

- text