મોરબીમાં 20 ઓક્ટોબરે ‘ભારતીય સાંસ્કૃતિક વારસો’ વિષય પર વક્તવ્ય યોજાશે

- text


મોરબી: મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અધ્યયન મંડળ (બૌદ્ધિક વિભાગ) દ્વારા આગામી તારીખ 20 ઓક્ટોબર ને ગુરુવારના રોજ રાત્રે 9 થી 10 કલાક દરમ્યાન ગાયત્રી ચેતના કેન્દ્ર, ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ 1159, શનિદેવના મંદિર પાછળ, પેટ્રોલપંપ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં ‘ભારતીય સાંસ્કૃતિક વારસો’ વિષય પર રાજેશભાઈ બદ્રકિયા વક્તવ્ય આપશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અધ્યયન મંડળ (બૌદ્ધિક વિભાગ) દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજજીવનને સ્પર્શતા વિવિધ વિષયોના બહુઆયામી અભ્યાસ માટે અધ્યયનશીલ લોકોને એકત્રિત કરી જે તે વિષયોના અધ્યયન, અનુસંધાન તથા સાહિત્ય નિર્માણ માટે અધ્યયન મંડળના નામથી પ્રયત્ન ચાલી રહ્યો છે. અધ્યયન મંડળની બેઠક આગામી 20 ઓક્ટોબરે યોજાનાર હોય આ બેઠકમાં હાજરી આપવા સૌ કોઈને અધ્યેતા તરીકે હાજરી આપવા જણાવાયુ છે.

- text

- text