- text
મોરબીઃ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આગામી તારીખ 19 ઓક્ટોબર ને બુધવારના રોજ સવારે 11 કલાકે મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે કથાના સ્વયંસેવકોનો આભાર, ગૌમાતાઓને 108 ટન સુખડી વિતરણનું સમાપન અને ભોજન સમારોહ કાર્યક્રમ યોજાશે. અને ભોજન બાદ રાજકોટ ખાતે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં જવા માટે પ્રસ્થાન થશે. આમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરાયું છે.
મહત્વનું છે કે, કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાગવતાચાર્ય ભાઈશ્રીના મુખેથી મોરબીમાં શ્રીમદ ભાગવત કથાનો લાભ મોટી સંખ્યામાં લોકોએ મેળવ્યો હતો. આ કથાની સફળતામાં જે સ્વંયસેવકોએ ભૂમિકા ભજવી છે તે તમામનો આભાર માનવા ભોજન સમારોહનું આયોજન કરાયું છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે કુલ 108 ટન ઔષધીયુક્ત સુખડી ગૌમાતાઓને જમાડવાના સંકલ્પનું સમાપન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભોજન સમારોહ બાદ રાજકોટ વડાપ્રધાનની સભામાં જવા માટે પ્રસ્થાન કરવામાં આવશે.
- text
- text