- text
મોરબી : મોરબીમાં ઝૂલતા પુલના રીનોવેશન કામ દરમિયાન કામ કરી રહેલા મોરબીના યુવાનનું વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમા હાલમાં ઝૂલતા પુલનું રીનોવેશન કામ ચાલી રહ્યું છે. જેમાં કામ કરતી વેળાએ મયુર ડ્રાઇવ રોડ ઉપર દરબારગઢ નજીક રહેતા પ્રકાશ માલાભાઈ વાઢેર ઉ.22 નામના યુવાનને ગઈકાલે વીજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text