મોરબી પરશુરામ ધામ ખાતે 25મીએ શાંતિયજ્ઞ – શ્રદ્ધાંજલિ સભા યોજાશે 

- text


મોરબી : પરશુરામ ધામ મોરબી ખાતે આગામી રવિવારે સ્વરુપાનંદ સરસ્વતીજીના આત્મા શાંતિ માટે યજ્ઞ તેમજ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

પરમ વંદનીય શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું કૈલાશગમન થયુ હોય જેથી પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તારીખ 25 સપ્ટેમ્બર ને રવિવારના રોજ સાંજે 5:00 થી 6:00 કલાક દરમિયાન આત્મ શાંતિ યજ્ઞ તેમજ સાંજે 6:00 થી 7:00 કલાક દરમિયાન શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સૌ કોઈને સહ પરિવાર હાજરી આપવા તેમજ આપણી ફરજ અદા કરવા ભુપતભાઈ પંડ્યા તેમજ સર્વે ટ્રસ્ટીઓ દ્વારા જણાવાયું છે.

- text

- text