સેવાસદનના દ્વાર જનતા માટે ખોલો ! મુખ્યમંત્રીને ફરિયાદ 

- text


મોરબી તાલુકા સેવાસદનના પશ્વિમ ભાગનાં બંધ રહેતા દરવાજા ખુલ્લા રાખી સિક્યુરિટી મુકવા માંગ 

મોરબી : મોરબી તાલુકા સેવા-સદન, લાલબાગનાં પશ્વિમ ભાગનાં દરવાજા ખુલ્લા રાખવનો હુકમ કરવા માટે સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીનાં જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓકટોબર-૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરી પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે.

મોરબીના સામાજીક કાર્યકતા રાજુભાઇ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુશા બ્લોચે કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના તાલુકા સેવાસદનમાં ગ્રામ્ય વિસ્તારનાં કાયદાથી અજ્ઞાન લોકોની મોટા પ્રમાણમાં સરકારી કામ અર્થે ભારે ભીડ રહે છે. તેમજ ગામડા નાં લોકો વૃધ્ધ પેન્શન, વિઘવા પન્શન તેમજ જાતિ-આવકના પ્રમાણપત્રો અને ખેડૂત વર્ગના લોકો રેવન્યુ કાગળો મેળવવા વધુ પ્રમાણમાં આવતાં હોય છે અને આવા લોકોની ભીડ અને લોકો તાલુકા સેવાસદનની અંદર અલગ-અલગ કચેરીઓ જેવી કે પુરવઠા,ઇ-ધરા કેન્દ્ર, મઘ્યાહન ભોજન, પ્રાંત અધિકારી તેમજ અલગ-અલગ વૃધ્ધ પેન્શન, વિધવા પન્શન સીટી-સર્વે કચેરી, શ્રમ-રોજગાર કચેરી જેવી અનેક કચેરીઓ તાલુકા સેવા-સદનનાં બિલ્ડિંગમાં આવેલી છે, જે બિલ્ડંગમાં અલગ-અલગ અવર-જવર માટે ગેઇટ(દરવાજા) મુકવામાં આવેલ છે.

- text

પરંતુ બિલ્ડિંગનાં મુખ્ય ગેઇટ(દરવાજા) સિવાયનાં તમામ દરવાજાને તાળા મારી સતત બંધ રાખવામાં આવેલ છે. જેના કારણોસર બિલ્ડિંગની અંદર કોઇ આકસ્મિક આગ, લુટફાટ, ઝઘડા જેવાં બનાવો ઘટના બને ત્યારે લોકોને બિલ્ડિંગથી બહાર નીકળવા મુશ્કેલી પડે તેમ છે. અને લોકોમાં ભાગદડનાં સમયે મોટાપાયે જાન-હાની થવાનો ખત્તરો રહેલો છે. જેથી આવા ગંભીર પ્રશ્નો ન બને તે માટે ગુજરાત સરકારનું અંગત ઘ્યાન દોરવા મુખ્યમંત્રીનાં જીલ્લા-સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓકટોબર ૨૦૨૨માં ફરિયાદ દાખલ કરવાની ફરજ પડેલ છે અને તાલુકા સેવાસદન લાલબાગ મોરબીની બિલ્ડિંગનાં તમામ ગેટો(દરવાજા) કચેરીનાં સમયગાળાં દરમિયાન ખુલ્લાં રાખવા અને બધા ગેઈટે સીકયુરીટી મુકવા માંગ કરી છે.

- text