25 સપ્ટેમ્બરે સરવડ ગામે ફ્રી નિદાન – સારવાર કેમ્પ

- text


સદગતના સ્મરણાર્થે કાલરીયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન

માળીયા (મી.): આગામી તારીખ 25 સપ્ટેમ્બરના રોજ માળીયા તાલુકાના સરવડ ગામે કાલરિયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મણાર્થે ફ્રી નિદાન, સારવાર કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

માળીયા તાલુકના સરવડ ગામના કાલરીયા પરિવાર દ્વારા સ્વ.શાંતાબેન પ્રભુભાઈ કાલરિયાના સમરણાર્થે આગામી તા.25 સપ્ટેમ્બર ને રવિવારના રોજ સવારે 9-30 થી 1-00 વાગ્યા સુધી સરવડ ગામે પ્રાથમિક શાળા ખાતે ફ્રી નિદાન, સારવાર અને રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં ફ્રી નિદાન, ફ્રી દવાઓ, ફ્રી RBS (સુગરની તપાસ, ફ્રી BMI તપાસ કરી આપવામાં આવશે. ફ્રી નિદાન અને સારવાર કેમ્પમાં નામાંકિત ડોક્ટરો સેવા આપશે. આ ઉપરાંત રક્તદાન કેમ્પમાં પણ રક્તદાન કરવા માટે સૌને આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે સી.પી. કાલરિયા (મો.નં. 99980 52361), મયુર કાલરિયા (મો.નં. 96625 92674) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text