રેસિપી અપડેટ : પિતૃઓને પ્રસન્ન કરવા બનાવો સ્વાદિષ્ટ ખીર

- text


મોરબી : હાલ શ્રાદ્ધ ચાલી રહ્યું છે. પિતૃપક્ષના શ્રાદ્ધમાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. શ્રાદ્ધમાં પિતૃઓ માટે ખીર બનાવવાનું વિશેષ મહત્વ રહેલું છે. એવી માન્યતા છે કે, ખીર ચઢાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ આપે છે. ત્યારે આવો જાણીએ શ્રાદ્ધ દરમિયાન કેવી રીતે ખીર બનાવવી.

સામગ્રીઃ એક લિટર દૂધ, બે વાડકી મખાના, ચાર ચમચી ખાંડ, બે ચમચી ઘી, બદામ, કાજુ, કિસમિસ, પાવ કટોરી બૂરા (સૂકું નારિયેળ), એલચી પાવડર, અડધી ચમચી કેસરના ટુકડાને દૂધમાં પલાળી રાખો.

- text

બનાવવાની રીતઃ
ખીર બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો અને મખાનાને તળી લો. ત્યાર બાદ શેકેલા મખાનાને થાળીમાં કાઢીને તેને ઠંડા કરીને ક્રશ કરી લો. હવે દૂધને ઉકળવા દો, જ્યારે દૂધ ઉકળે ત્યારે તેમાં મખાનાનો ભૂકો નાખીને તેને પકાવો અને ખાંડ ઉમેરો. ખીરને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં કાજુ-બદામ, નારિયેળ પાવડર, કિસમિસ, એલચી અને કેસર ઉમેરો. તમારી ખીર તૈયાર છે. ગરમ પ્લેટમાં સર્વ કરો.

- text