- text
મોરબી : મોરબી પંથકમાં આજે પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. વીજળીના કડાકા અને પવન સાથે મેઘરાજા વરસ્યા હતા. ત્યારે આ અરસામાં જોધપર ગામે મનસુખભાઇ નથુભાઈ રાજપરા ગામે ત્રણ મકાન ઉપર વીજળી પડી હતી. જેના કારણે અગાસીએ બાંધકામમાં નુકસાન થયું હતું. ઉપરાંત ઘરનું વાયરીંગ બળી ગયું હતું. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
- text
- text