જુના જીવાપર પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા રજૂઆત

- text


મોરબીઃ મોરબીના જુના જીવાપર (ચ) ગામે આવેલા પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા માટે ગ્રામજનોએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે.

જુના જીવાપરના ગ્રામજનોએ રજુઆતમાં જણાવ્યું છે કે, જુના જીવાપર ગામે હાલ જે પ્રાથમિક શાળા છે ત્યાં જીવાપર તથા આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. આ પ્રાથમિક શાળા ગામથી લગભગ દોઢ કિલોમીટર દુર આવેલી છે. તથા આ પ્રાથમિક શાળાની બાજુમાં સ્કૂલની દિવાલે જ મોટી ખુલ્લી પાણીની કેનાલ આવેલી છે તેથી ત્યાં અકસ્માત થવાનો પણ ભય રહેલો છે. તેથી જુના જીવાપર ગામે ગામના મધ્યમાં શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બનાવવામાં આવી છે જે સારી સ્થિતિમાં છે અને ગામના મધ્યમાં પણ છે તેથી જુના જીવાપર ગામની પ્રાથમિક શાળાને આ શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં ખસેડવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માગણી છે.

- text

- text